🔔 કેટલાક પૂર્વ જન્મો..
સુમિત્ર શેઠનો પુર્વજન્મ
〰〰〰〰〰〰
કોઇ નગરમાં સુમિત્ર નામે શ્રીમંત રહેતો હતો .શેઠને ધન ધાન્યની રેલમછેલ હતી ..સોના ચાંદી ની તિજોરી ભરી
હતી.અને પ્રેમાળ પણ મળી હતી છતા તે દુઃખી હતો. સતત સંતૃપ્ત રહેતો કેમકે, તેના એક પણ પુત્ર કે પુત્રી જીવિત રહેતા નહી..જન્મે , થોડો ઘણો સમય વીતે ત્યા નાની મોટી બિમારીમાં પટકાઇ ને તે સૌ મરી જતા.
આ રીતે આઠ સંતાનો મર્યા . આઠ આઠ સંતાનો જન્મ્યા પછી પણ એકેય સંતાનો જીવિત ન રહ્યા ...ત્યારે સુમિત્રની ઉદાસીનો પાર ન રહ્યો..વારંવાર
રોષથી તે સળગી જતો.
એકવાર એક કરોડની કિંમતનો રત્નનો હાર તેના હાથમા હતો.. હાર લઇને તે ઓસરીમાં ગયો..ચિંતા અને ઉદ્વેગના કારણે તે હાર ઓસરીમાં જ.ભુલી ગયો ને હવેલીમાં અંદર
આવી ગયો.
યોગાનુયોગ ધનમિત્ર નામનો વેપારી તેના ઘરે આવ્યો.હજુ તો બંને વેપારી વચ્ચે વાત થઇ ન થઇ ત્યા
સુમિત્રની પત્નીએ બુમરાણ મચાવી કે, પેલો કરોડ નો હાર તમે ઘર બહાર મુકી આવ્યા ...પહેલા લઇ આવો.
સુમિત્ર દોડયો... પણ અજાયબ એ થયો કે, હાર ઓસરીમાં કયાય દેખાયો નહી..સુમિત્રે રઘવાયા બની ને પેલા
ધનમિત્ર પર આરોપ મુકી દીધો
કે, હાર તે જ ચોર્યો છે..સીધી રીતે હાર આપી દે નહીતર રાજા પાસે લઇ જઇશ.
ધનમિત્ર પર તો આભ તુટી પડયુ ..આજીજી કરી...તારો હાર મે લીધો
નથી...મને કલંકિત ના કર...હુ નિર્દોષ છુ..!
સુમિત્ર બળજબરીથી રાજસભામાં લઇ ગયો.
ધનમિત્રે રસ્તામાં
જ કાયોત્સર્ગ શરુ કરી દીધો ..એવા સંકલ્પ સાથે કે, આ કલંકમાથી જયા સુધી મુકિત ના
મળે ત્યા સુધી મને કાયોત્સર્ગ હો..!
રાજસભામાં પહોંચ્યા ..વાર આગળ વધે તે પહેલા ..સુમિત્રની
હવેલીમાથી વોચમેન હાર લઇને આવ્યો .."શેઠ, આ હાર ઓસરીમાં જ.પડેલો હતો..શેઠાણીએ મોકલ્યો છે. રાજા સહિત
સૌ નગરજનો આશ્ચર્ય ચકિત થઇ ગયા..
એક અવધિજ્ઞાની જૈન મુનિ નગરમાં બિરાજમાન.હતા..સૌ તેમની પાસે પહોંચ્યા. અને હાર નુ રહસ્ય પુછ્યુ.
" પુન્યવંતો , હારની ચોરી થઇ હતી..તેમા શંકા ન કરશો..પરંતુ ચોરી ધનમિત્રે નહોતી કરી..સુમિત્ર શેઠના વૈરી એવા વ્યંતર દેવે હાર ચોર્યો હતો."
તો પછી ફરી કઇ રીતે મળી ગયો ?"
સુમિત્રે પુછ્યુ?
ધનમિત્રે શાસનરક્ષક દેવો ને ઉદેશીને જે કાઉસગ્ગ કર્યો ..તેથી તેની સહાય માટે અધિષ્ઠાયક દેવો
દોડી આવ્યા.
નિર્દોષ ધનમિત્રને બચાવવા તેણે પેલા વ્યંતરદેવને હરાવી , તેની પાસેથી હાર મેળવી ફરી સુમિત્રના ઘેર મુકી
દીધો.
રાજા અને પ્રજા ફાટી આંખે ગુરુદેવની વાત સાંભળી રહી ..
ધર્મનો પ્રભાવ અને ગુરુના જ્ઞાન પર સૌ આફરીન પોકારી ગયા ...
" ભગવંત , પેલા વ્યંતરને આ સુમિત્ર સાથે વેર થવાનુ કારણ શુ ?"
ધનમિત્રે પુછ્યુ .
તેનુ કારણ તે બંનેનો પૂર્વભવ છે..
સુમિત્ર શેઠ ગયા ભવમાં ગંગદત નામે ગૃહસ્થ હતો , તેની પત્નીનું નામ મગધા .
ગંગદતની એકવાર બુદ્ધિ બગડી..પોતાની મગધા વારંવાર સોનાના દાગીના આપવાની માંગણી કરી
રહી હતી.તેને સંતોષવા ગંગદતે પોતાની શેઠાણીનુ એક રત્ન ચોરી લીધુ.એક લાખની કિંમતનું આ રત્ન હતુ.
શેઠાણીએ ખુબ સમજાવ્યો..છતા ગંગદત ચોરેલું રત્ન પાછુ આપવા
તૈયાર થતો નથી.
શેઠાણીએ અભયદાન આપ્યુ..બક્ષિસની
લાલચ આપી..
તો ' યે પોતાની પત્ની પ્રત્યે વધુ આસકિત રાખતા ગંગદતે રત્ન ના આપ્યુ ...તે ના જ આપ્યુ ..ઉપરથી તમારા સગાએ ચોરી લીધુ હશે એવુ આળ મુક્યુ.
શેઠાણી ખુબ દુઃખી થયા.. . કરે પણ.શુ ?
તે શેઠાણી મૃત્યુ પામી વ્યંતર દેવતા બની છે..ગંગદતની પત્ની મગધા.. સુમિત્ર
શેઠ બન્યો.ગંગદતનો
આત્મા ધનમિત્ર શેઠ તરીકે ઉત્પન્ન
થયો છે.
પૂર્વભવ ની શેઠાણી
વ્યંતર બનીને પણ વૈરથી ધમધમી રહી છે...તેણે સુમિત્રના આઠેય સંતાનોને મારી નાખ્યા.અને ગંગદત પ્રત્યેનું વૈર વાળવા
હાર ચોરી લઇ
ધનમિત્ર ને ચોર જાહેર કરાવ્યો
.
સંદર્ભ ગ્રંથ:- શ્રાદ્ધવિધિ પ્રકરણ
આધાર:- કેટલાક
પૂર્વ જન્મો
લેખક :- પુ આચાર્ય હિતવર્ધનસુરીજી
સંકલન :- વિપુલા મહેતા (જામનગર)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો