શનિવાર, 5 ફેબ્રુઆરી, 2022

‌ નિર્વાણ કલ્યાણક એટલે શું?

અરિહંત પરમાત્માના પાંચ કલ્યાણકો અનુક્રમે ચડિયાતા છે. અર્થાત નિર્વાણ કલ્યાણક સર્વ શ્રેષ્ઠ છે.

નિર્વાણ કલ્યાણક એટલે શું

 

🪔આયુષ્યની અંતિમ ઘડીએ, સંસારસાગર નો સામો કિનારો- સિદ્ધશિલા પ્રતિ પરમાત્માનું પ્રયાણ તે નિર્વાણ કલ્યાણક છે.

 

 🪔અંતિમ સમયની પૂર્વે ચોક્કસ સમયથી જ પ્રભુ બાહ્ય દેશનાદિ વ્યવહારથી વિરામ પામી, તીર્થ ગણધરને સોંપી અનશન સ્વીકારે છે.

 

🪔પ્રભુના અનશન સમયે ઇન્દ્રાદિ દેવતાઓ પ્રભુની સેવામાં ઉપસ્થિત રહે છે.

 

 🪔પ્રભુ ચૌદમા ગુણસ્થાનકને પામી,

શૈલેષીકરણ દ્વારા ચારે અધાતી કર્મોનો ક્ષય કરી પાંચ હ્રસ્વાક્ષર (અ, , ઉં, ઋ લૃ) બોલતાં જેટલો સમય લાગે તેટલો સમય ત્યાં રહી,

  માત્ર એક જ સમયમાં મોક્ષે જાય છે.

 

🪔નિર્વાણ વેળાએ,પ્રભુ સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાત થાય છે. કૃતકૃત્ય થાય છે. સાદિ અનંતા ભાંગે સુખના સ્વામી બને છે. સિદ્ધપદમાં સ્થાન માન પામે છે.

 

🪔પ્રભુના નિર્વાણથી જગતમાં અંધકાર વ્યાપે છે. ભાવદીપકનો અસ્ત થતાં દેવો-માનવો દ્રવ્યદીપ પ્રગટાવી દિવાળી મનાવે છે.

 

🪔ઇન્દ્રાદિ દેવો અને રાજરાજેશ્વરો શોક સહિત પ્રભુનો અગ્નિ સંસ્કાર કરે છે.

 

  🪔પ્રભુના સંસ્કાર સ્થાને ઇન્દ્ર મહારાજ, પ્રભુ પ્રતિમાથી શોભતું સ્તૂપમંદિર બનાવે છે.

  શોક દૂર કરવા નંદીશ્વર દ્વીપ જઇ અટ્ઠાઇ મહોત્સવ ઉજવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top