શનિવાર, 5 ફેબ્રુઆરી, 2022

શ્રાવક જીવનના બાર વ્રત :

વ્યક્તિનું ચારિત્ર જેટલું શ્રેષ્ઠ હશે તેટલું જ સામાજિક અને

રાષ્ટ્રીય ચરિત્ર શ્રેષ્ઠ રહેવાનું.

 

ચારિત્રની શ્રેષ્ઠતા માટે શ્રી જિનેશ્વર ભગવંતોએ બાર વ્રત અને તે

 

દરેક વ્રતની આચારમંડિત વિલક્ષણ આચારસંહિતા ઘડી આપી

છે.

શ્રાવક અને શ્રાવિકા માટેના બાર વ્રતો ત્રણ ભાગોમાં વિભક્ત છે.

 

૧. અણુવ્રત : (મૂળભૂત નાના વ્રતો-નિયમો)

 

૨. ગુણવ્રત : (મૂળભૂત વ્રતોને બળ આપનાર ગુણરૂપ વ્રતો)

૩. શિક્ષાવ્રત : (સંસારમાં સાધુ જીવનની ઝાંખી કરાવતા

અભ્યાસમૂલક વ્રતો)

 

અણુવ્રત પાંચ , ગુણવ્રત ત્રણ , અને શિક્ષાવ્રત ચાર છે.આ વ્રતો

દ્વારા ગૃહસ્થોએ શું ન કરવું જોઈએ તેની વિશદ છણાવટ

કરવામાં આવી છે.

આ દરેક વ્રતના પાંચ-પાંચ અતિચાર છે.અતિચાર એટલે ભૂલ-

શરતચૂક. ગૃહસ્થોએ બાર વ્રતોના પાલનની સાથોસાથ દરેક

વ્રતના અતિચારોનો પણ ત્યાગ કરવાનો છે.

 

શ્રાવક / શ્રાવિકા જીવનના બાર વ્રત :

પાંચ અણુવ્રત :

 

૧.સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત  

 

૨.સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત  

 

૩.સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત  

 

૪.સ્થૂલ મૈથુન વિરમણ વ્રત 

 

૫.સ્થૂલ પરિગ્રહપરિમાણ વ્રત 

 

ત્રણ ગુણવ્રત : 

 

૬. દિક્પરિમાણ વ્રત 

૭.ભોગોપભોગ-વિરમણ વ્રત 

૮.અનર્થદંડ વિરમણ વ્રત 

ચાર શિક્ષાવ્રત : 

૯.સામાયિક વ્રત 

૧૦.દેસાવગાસિક વ્રત  

૧૧.પૌષધોપવાસ વ્રત 

૧૨.અતિથિસંવિભાગ વ્રત

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top