બુધવાર, 9 ડિસેમ્બર, 2020

Manav jivanma kartvyo

માનવ જીવનમાં કર્તવ્યો દ્વારા મોક્ષ યાત્રા

|| માનવ જીવનમાં કર્તવ્યો દ્વારા મોક્ષ યાત્રા || 

|| કર્તવ્યો || 

|| દૈનિક ૬ કર્તવ્યો, વાર્ષિક ૧૧ કર્તવ્યો, પર્યુષણ મહાપર્વના ૫ કર્તવ્યો, જીવનના ૧૮ કર્તવ્યો || 

|| દૈનિક ૬ કર્તવ્યો || 

(1) ભગવાનની પૂજા (2) ગુરુભગવંતની ઉપાસના (3) જીવદયા (4) સુપાત્રદાન (5) ગુણાનુરાગ (6) જિનવાણી શ્રવણ 

આપણે આપણા આત્માને પર્વની આરાધનાના ઝરમરીયાથી ભિંજાવવા દેવો જોઇએ. પર્વના દિવસોમાં કઇ આરાધના કરવાથી આત્મા ભિંજાય ? શાસ્ત્રકારે કહ્યું છે કે જ્યાં સુધી ખાવા પીવાની લોલુપતામાં મસ્ત રહીએ, શરીરની ટાપટાપીમાં પડ્યા રહીએ વાસનાઓનું પાપ ચાલુ રાખીએ અને પાપની પ્રવૃતિઓમાં મગ્ન રહીએ, ત્યાં સુધી પૌષધ ધર્મની સાધના થતી નથી, માટે જ્ઞાનીઓએ પૌષધની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે ધર્મનું પોષણ કરે, તે પૌષધ કહેવાય, ”પવ્વેસુ પોસહ વયં” એ મણ્હ જિણાંણ સજઝાયમાં પૂર્વ દિવસે શ્રાવકોને પોષધ કરવાનું કહ્યું છે. દર મહીને પર્વ તિથીએ પૌષધ કરવો જોઇએ. પર્યુષણ મહાપર્વ છે. તેથી તેમાં પૌષધ કરવો જ જોઇએ. છેવટે સંવત્સરીના દિવસે પૌષધ અચુક કરવો જ જોઇએ. પૌષધથી આધ્યાત્મિક જીવન તરફ ડગ મંડાય છે. અજબ આત્મ- રમણતાની અનુભૂતિ થાય છે. 

રાજા ઉદયન રાજ્યના અનેક કાર્યો હોવા છતાં પૌષધ કરવાનું ચુકતા ન હોતા. સુદર્શન શ્રાવક પૌષધમાં કાઉસગ્ગ કરતાં કરતાં એવા એકરાર બની ગયા કે શરીરનું સાભ ભાને ભુલી ગયા. જરાય ચલિત ન થયા. પૌષધમાં સ્થિર બનેલા સાગર ચંદ્રના મસ્તક ઉપર પ્રતિસ્પર્ધીએ અંગારા મુકયા, તોય ક્રોધાગ્નિથી ભભુકયા નહિ, કામદેવ શ્રાવકને પૌષધમાં હાથી, સર્પ વગેરેના ઉપદ્રવ થયા, છતાં તેઓ જરાય ભયભીત ન થયા. મંત્રી ઘરે પર્વના દિવસે પૌષધ કર્યો હતો. રાજાની અનુમતી લઇને અંગરક્ષક મંત્રી મદ્રા લઇ ગયો. તો રસ્તામાં શત્રુના સૈનિકોએ તેને મારી નાખ્યો. મત્રીશ્વર બચી ગયા. રાજાને પોતાની ભૂલ સમજાણી. ધર્મમાં તેની દ્રઢતા જાણી મંત્રીશ્વરનો પગાર વધારી દીધો. ધર્મનો જયજયકાર થયો. સનત્કુમારના પૂર્વભવમાં, સૂર્યશા રાજા, ચુલાની પિતા, કુમારપાળ રાજાની પૌષધમાં અનુમોદનીય દ્રઢતા હતી. એવી મહાપુરૂષોને યાદ કરીને આ પર્વમાં પૌષધ કરવાનો પ્રયત્ન જરૂર કરવો જોઇએ. 

ઘણાં માણસો રોજ વ્યાખ્યાન સાંભળવા આવતા નથી, તેથી જ્ઞાનીઓએ પર્યુષણ મહાપર્વના દિવસોમાં ક્રમશઃ મહાપર્વના પાંચ કર્તવ્ય, વાર્ષિક ૧૧ કર્તવ્ય, પર્વનું પૌષધ કર્તવ્ય અને હવ દૈનિક ૬ કર્તવ્યોનું વર્ણન કરવાનું જણાવ્યું છે. 

આપણે પાપ સાધના કરીને ભવયાત્રા કરી રહ્યા છીએ. હવે દૈનિક ધર્મ સાધના કરીને મોક્ષ યાત્રા શરૂ કરીએ. 

સંસારી જીવો ખાવા પીવા, વ્યાપાર, આદિની પાપ પ્રવૃતિઓ હોંશે-હોંશે કરે છે. ધર્મની પ્રવૃતિ તરફ તેની દ્રષ્ટિ જતી નથી. છતાં કયારેક એવી પરિસ્થિતી સર્જાય છે. ત્યારે તેને ધર્મ તરફ વળવું પડે છે. ”રીટર્ન બેક ટુ રેલીજીયન”ના મનોવૈજ્ઞાનીક લેખક લખે છે કે ૨૫ વર્ષ સુધી મેં ધર્મની ધૃણા કરી છે. પણ જ્યારે એકાએક મારા શોધેલા અતિ કિંમતી ગણાતા સમાધાના ધર્મગ્રથમાં ૨૦૦૦ વર્ષ પહેલાના લખાયેલા જોયા, ત્યારથી હું ધર્મ તરફ વળી ગયો છું. બીજા યુદ્ધમાં રશિયનોએ ભગવાનને પ્રાર્થના કરી હતી. શાહજહામાં મેચ જીવતાની અણી ઉપર મિયાંદાદે અલ્લાહનું સ્મરણ કર્યુ હતું. ફિલ્મી હીરો અમિતાભ બચ્ચને બેંગ્લોરમાં ભગવાનને પ્રાર્થના કરીને ૬ મહિના સુધી બુટનો ત્યાગ કર્યો હતો. અમેરીકાના પ્રમુખ બુશે ખાડી યુદ્ધમાં ૩૦૦૦ પાદરીઓને પ્રાર્થના માટે સૈનિકોની સાથે મોકલ્યા હતા. આ રીતે આજે નહિ, તો કાલે માણસને ધર્મની જરૂર પડવાની છે. 

માનવે પોતાને દૈનિક જીવનમાં ૬ કર્તવ્ય અવશ્ય કરવા જોઇએ. જ્ઞાની પુરૂષોએ કહ્યું છે કેઃ 

દેવપૂજા ગુરૂપાસ્તિઃ સ્વાધ્યાયઃ સંયમ તપઃ 

દાનં ચ ગૃહસ્થાનાં, ષટ્ કર્તવ્યાનિ દિને દિને. 

(૧) દેવપૂજા (૨) ગુરુની ઉપાસના (૩) સ્વાધ્યાય (૪) સંયમ (૫) તપ અને (૬) દાન. 

(૧) દેવપૂજાઃ
તીર્થકર પરમાત્માની પૂજાથી તીર્થંકર બને છે. અનંત સુખનો ભોકતા બને છે. તે પૂજા બે પ્રકારની છે. દ્રવ્ય પૂજા અને ભાવપૂજા, પક્ષાલ, કેસર-ચંદન, ધૂપ, દીપ, આરતી વગેરે દ્રવ્ય પૂજા કહેવાય, ચૈત્યવંદન વગેરે ભાવપૂજા કહેવાય. સવારે બપોરે અને સાંજે ત્રિકાળ પૂજા કરવી જોઇએ. દેવપાળે પૂજાથી રાજઋષિ પ્રાપ્ત કરી તીર્થકર નામ કર્મ બાંધ્યુ, પાંચ કોડીના ફૂલોથી પુજા કરનાર અઢાર દેશનો રાજા રાજકુમારપાળ થયો. અને ગણધર બનશે. 

(૨) ગુરૂની ઉપાસનાઃ
તીર્થકર ભગવાનનું શાસન સમજાવનાર અને આપણા સુધી પહોંચાડનાર ગુરુ છે. તેમની ઉપાસના કરવાથી તેમના આશીર્વાદ મળે છે. અને તેથી અનેક ગુણોની પ્રાપ્તી થાય છે. ગુરૂનં મહત્વ બતાવતા જ્ઞાનીઓએ કહ્યું છે કે ”ધ્યાનનું મૂળ હોય, તો ગુરૂ છે. ગુરુનું વાકય જ મંત્રનુ઼ મૂળ છે., પૂજાનું મૂળ ગુરુનું સ્મરણ છે. અને ગુરૂકૃપા જ મોક્ષનું મૂળ છે.” 

શીતલાચાર્યના શિષ્યો ગુરૂ ઉપાસાનાના પ્રભાવથી કેવળજ્ઞાન પામી ગયા અને માસતુસમુનિ પણ ગુરૂ કૃપાથી કેવળજ્ઞાન પામી ગયા. 

(૩) સ્વાધ્યાયઃ
સ્વ એટલે આત્મા, તેને અનુલક્ષીને અધ્યયન કરવું, તે સ્વાધ્યાય કહેવાય. ”સજઝાય સમો તવો ણત્થિ” સ્વાધ્યાય સમાન તપ નથી. પહેલા જ્ઞાનને પછી ક્રિયા. રાજ્યના કામો હોવાથી સમયના અભાવે પેથડ શાહ મંત્ર રાજસભામાં જતી વખતે રસ્તામાં ઉપદેશ માળા ગોખતા ગયા હતા. કુમારપાળ મહારાજાએ વૃદ્ધાવસ્થામાં સંસ્કૃતિનું અધ્યયનું કર્યુ હતું. આને અભ્યન્તર તપ પણ કહેવાય છે. 

(૪) સંયમઃ
સંયમ એટલે પાંચ ઇન્દ્રિયો અને મન ઉપર અંકુશ રાખવું. બ્રેક વિનાની કાર જેમ હોનારત સર્જે છે. માટે ઇન્દ્રિય અને મનને કાબુમાં રાખવા માટે જીવનમાં સામાયિક વગેરે સંયમનો અભ્યાસ રાખવો જોઇએ. પુણિયા શ્રાવકની જેમ રોજ ઓછામાં ઓછી એક સામાયિક કરવી જોઇએ. 

(૫) તપઃ
તપ અગ્નિ સમાન છે. જેમ અગ્નિ સોનામાં રહેલ ભેળસેળને બાળી નાંખી સોનાને શુદ્ધ બનાવે છે. તેમ આત્મામાં રહેલા કર્મનો કચરો તપથી બળી જાય છે, આત્મા શુદ્ધ બને છે. તપ આહાર સંજ્ઞાને નાબુદ કરીને અણાહારી પદ આપે છે. ધન્ના અણગાર, ઋષભદેવ, મહાવીર સ્વામી વગેરેને યાદ કરીને રોજ ઓછામાં ઓછો નવકારશીનો તપ કરવો જોઇએ. નવકારશીથી બેસણા એકાસણા, આયંબિલ, ઉપવાસ વગેરે સુધી બાહ્મ તપ કહેવાય છે. આવા તપથી શારીરિક રોગો પણ દુર થાય છે. અમેરીકામાં ફાસ્ટ અને રેસ્ટના સિદ્ધાન્તને સ્વીકાર કેટલાએ જીવો રોગ મુકત થયા છે. સ્વાધ્યાય વગેરે અભ્યંતર તપ કહેવાય છે. 

(૬)દાનઃ
આત્માને અનાદિ કાળથી પરીગ્રહની મમતા વળગી છે. જાનવરમાં ભવમાં ઘાસની મમતા, મનુષ્ય ભવમાં સોના ચાંદીની મમતા, દેવભવમાં રત્નોની મમતા, આવી પરીગ્રહ સંજ્ઞાને તોડનાર તરીકે દાન એ ઉત્તમ ઉપાય છે. દરરોજ થોડું ઘણું દાન આપવાનો અભ્યાસ રાખવો જ જોઇએ. ભગવાન ઋષભદેવના જીવ ધન સાર્થવાહે, ભગવાન મહાવીર સ્વામીના જીવ નયસારે, શાલીભદ્રના જીવ ગરીબ બાલક સંગમે દાન આપી પોતાના આત્માનું ઉત્થાન કર્યું હતું. 

ઉપરોકત કર્તવ્યો દૈનિક છે, તેથી તે રોજ કરવા જોઇએ. 

|| વાર્ષિક ૧૧ કર્તવ્યો || 

વાર્ષિક ૧૧ કર્તવ્‍યોના નામ આ પ્રમાણે છે : (૧) સંઘપૂજન, (૨) સાધર્મિક ભકિત, (૩) યાત્રાત્રિક, (૪) સ્‍નાત્ર મહોત્‍સવ, (૫) દેવ દ્રવ્‍યવૃદ્ધિ, (૬) મહાપૂજા, (૭) રાત્રિ જાગરણ, (૮) શ્રુત પૂજા, (૯) ઉદ્યાપન, (૧૦) શાસન મહોત્‍સવ, (૧૧) આલોચના તેમાં ૧૦ કર્તવ્‍યનું પાલન કરવામાં ધનનો મોહ છોડવાનો હોય છે અને ૧૧માં કર્તવ્‍યમાં મનને સરળ બનાવવું પડે છે. વિષય અને કષયથી કાળા મેલા જેવા બનેલા આત્‍માનો મેલ આલોચના પ્રાયヘતિથી ધોવાય છે 

(૧) પ્રથમ કર્તવ્‍ય સંઘ પૂજનઃ કેવલજ્ઞાની તીર્થકર ભગવાન સમવસરણમાં દેશના આપતા પહેલા ‘‘નમો તિત્‍થરસ” કહીને બેસે છે, તીર્થ એટલે સાધુ- સાધ્‍વી – શ્રાવક – શ્રાવિકા ચતુર્વંઘ સંઘ, એવા સંઘને તીર્થકર નમસ્‍કાર કરે છે. આવા સંઘમાંથી જ તીર્થકર બન્‍યા છે, બને છે અને બનશે, આપણને પણ સંઘની હૂંફ ધર્મ કાર્ય કરવામાં મળે છે. ઘણા વ્‍યકિતઓ ધર્મ કરતા હોય, ત્‍યારે આપણે પણ ધર્મ કરવાનું મન થાય છે. ધર્મી વગર ધર્મ રહી શકતો નથી. તેથી આવા ધર્મી સંઘની સંઘપૂજનથી અવશ્‍ય ભકિત કરવી જોઇએ. પુણ્‍યના ઉદયે આવા સંઘની ભકિત કરવા મળે છે. માટે જ ભકિત મુકિતને ખેંચે છે 

(૨) બીજા કર્તવ્‍ય સાધર્મિક ભકિતઃ સમાન ધર્મવાળો ભકિત સાધર્મિક કહેવાય છે. તેમા કુલ જાતિનો કોઇ નિયમ નથી. બિહારમાં સરાક જાતિ અને ખંભાતની પાસે પટેલો સાધર્મિક છે. આર્થિક પરિસ્‍થિતિથી પીડાતા સાધર્મિકને ઉદારતાથી ધન આપવું એ દ્રવ્‍ય સાધર્મિક વાત્‍સ્‍ય છે અને પાપથી પીડાતા સાધર્મિકને વ્‍યસન કે પાપમાંથી મુક્‍ત બનાવી ધર્મમાં સ્‍થિર કરવો, એ ભાવ સાધર્મિક વાત્‍સલ્‍ય છે. સાધર્મિક વાત્‍સલ્‍ય કરવાથી સમક્‍તિ નિર્મલ બને છે. 

પેથડ શાહ હાથી પર બેસીને રાજ દરબારમાં જતા, ત્‍યારે રસ્‍તામાં નવા સાધર્મિકને જોયા પછી તરત નીચે ઉતરીને તેને ભેટી આનંદ વ્‍યક્‍ત કરતાં, 

શાહ પદવીની રક્ષા માટે સાધર્મિકના ગૌરવ અર્થે ખેમા દેદરાણીએ ૧૨ મહીના સુધી આખું ગુજરાત જમાડયું હતું. સૌરાષ્‍ટ્રના સવચંદ શેઠ આર્થિક ભીસમાં આવી ગયા, ત્‍યારે પોતાનું ખાતું અહમદાવાદના સોમચંદભાઇને ત્‍યાં ન હોતું. છતાં તેમના પર હુંડી લખી દીધી. પણ લખતા- લખતા હુંડી પર આસુનું ટીપું પડી ગયું હતું. તે જોઇને સોમચંદ શેઠે સાધર્મિક વાત્‍સલ્‍યથી તે હુંડી સ્‍વીકારી લીધી અને ખાતે રકમ લખ્‍યા વગર રકમ આપી દીધી. ચંદ્રાવતી નગરીમાં જગસિંહ શ્રાવકે ૩૬૦ સાધર્મિકોને પોતાના જેવા કરોડ પતિ બનાવ્‍યા. ઋષભદેત્તે જુગારનો વ્‍યસની બનેલ જિનદાસને તે વ્‍યસન છોડાવી ધર્મનો આરાધન બનાવ્‍યો. તેથી તે જંબૂદ્રીપનો અધિષ્‍ઠાયક થયો. 

(૩) યાત્રાતિકઃ 

(૧) અષ્‍ટાહિનકા યાત્રાઃ અઠ્ઠાઇ મહોત્‍સવ કે પંચાહિનકા મહોત્‍સવ વર્ષમાં એકાદ કરાવવો. આંગી રચાવવી અથવા પોતાની શક્‍તિ પ્રમાણે તેમાં રકમ આપવી. 

(૨) રથયાત્રાઃ સુવર્ણ કે ચાંદીના રથમાં પ્રભુજીને બિરાજમાન કરી અનેક વાજિત્રો સાથે વરઘોડો કાઢવો, જેથી ધર્મની પ્રભાવના થાય. જેમ કુમારપાલ મહારાજ ચૈત્રવદ-૮ના દિવસે રથયાત્રા કાઢતા હતાં. 

(૩) તીર્થયાત્રાઃ ‘‘તારે તે તીર્થ કહેવાય” તેની યાત્રા વર્ષમાં એક વાર કરવી અને કરાવવી. જેમ પેથડ શાહ, સમરા શાહ, જાવડશા, કુમારપાલ, વસ્‍તુપાલ, તેજપાલ, ભરત, વિક્રમાદિત્‍ય મહારાજ વગેરે અનેક આત્‍માઓએ છ’રી પાલક સંઘ કાઢી આ કર્તવ્‍ય બજાવ્‍યું છે. 

વર્તમાન કાળમાં પણ થોડા વર્ષ પહેલા રાજસ્‍થાનનાં માલગાંવ નિવાસી સંઘવી ભેરમલજી હુકમાજીએ ૪૦૦૦ માણસોએ શત્રુંજય તીર્થથી ગિરનારનો વિશાલ છ’રી પાલક સંઘ કાઢીને આ કર્તવ્‍ય બજાવ્‍યું છે. તીર્થયાત્રામાં રાત્રીભોજન, દમુલ, અભક્ષ્ય ભક્ષણ, ૭ વ્‍યસન, ફીલ્‍મીગીતો, વીડીયો, લડાઇ, ક્રોધ, વગેરેથી દૂર રહેવું જોઇએ 

(૪) સ્‍નાત્ર મહોત્‍સવઃ કર્મમલને ધોવા માટે વર્ષમાં એક વાર અવશ્‍ય સ્‍નાત્ર મહોત્‍સવ કરવો જોઇએ. એ પ્રભુના જન્‍માભિષેકનું અનુકરણ છે. જેમ પેથડ શાહે ગિરનારજી તીર્થ પર ર્ક્‍યો હતો. ભાઇઓએ તેમાં ડાંડીયા રાસ વગેરેથી રમઝટ જમાવવી જોઇએ. બહેનોએ પુરૂષોની જેમ જાહેરમાં ડાંડીયા ન લેવા જોઇએ. તે રાગ વગેરેનું કારણ હોવાથી મોટો દોષ લાગે છે. 

(૫) દેવદ્રવ્‍યની વૃદ્ધિ : પ્રાચીન સેંકડો દેરાસરો જીર્ણ થઇ રહ્યા છે. તેનો જીર્ણોદ્ધાર કરાવવા માટે દેવ દ્વવ્‍યની વૃદ્ધિ કરવી જોઇએ. જેથી દેરાસર એક વિમાન જેવા થઇ જાય. તેના દર્શનથી લોકોનું સમ્‍યકત્‍વ નિર્મલ બને. જૈન શાસનનું ગોૈરવ વધે, દેવદ્રવ્‍ય વૃદ્વિના ઉપાયોઃ તીર્થમાળ ઉપધાનમાળ, ધોડિયા પારણાની ઉછામણી બોલીની રકમ પેથડ શાહની જેમ તરત જ ભરપાઇ કરવી. પેથડ શાહે ઉછામણી બોલીને ત્રણ દિવસ ઉપવાસ કરી તરત જ રકમ ભરપાઇ કરી હતી. 

(૬) મહાપૂજાઃ વર્ષમાં એકવાર સિદ્ધચક્ર મહાપૂજન, શાંતિસ્‍નાત્ર આદિ પૂનમ ભણાવવા જોઇએ, જેથી ભગવાનની ભક્‍તિ અને તેથી મુક્‍તિ નજીક બને. 

(૭) રાત્રી જાગરણઃ પ્રથમવાર મહાતીર્થના જે તિથિએ દર્શન થયા હોય, તે તિથિએ કે ભગવાનનાં પાંચ કલ્‍યાણકની તિથિએ કે ધર્મ પ્રાપ્ત કરાવનાર ગુરૂના સ્‍વર્ગવાસની તિથિએ, વ્રતોચ્‍ચારણ, મોટી તપસ્‍યા, સૂત્ર વાંચન વગેરે તિથિએ રાત્રે ધર્મ જાગરણ કરવુ઼ જોઇએ, પણ એ વખતે એક સાવચેતી રાખવાની કે રાત્રી જાગરણમાં ચા-નાસ્‍તો, ગંજીપા વગેરે, રેડીયો ગીત સાંભળવું વગેરે ન કરાય. પુરૂષો દાંડીયા રમી શકે. પણ ધર્મના અધર્મને પોષણ આપનારી અને શીલભ્રષ્‍ટ સુધી પહોંચાડનાર છોકરા છોકરીઓ સાથે મળીને બન્ને ડાંડીયા ન જ રમવા જોઇએ, તે અનર્થનું કારણ છે. 

(૮)શ્રુત પુજાઃ કુમારપાળ રાજાએ ૨૧ જ્ઞાન ભંડારો નવા કરાવ્‍યા હતાં. પૂ્‌જ્‍ય કલિકાલ સર્વજ્ઞ આચાર્ય દેવશ્રી હેમચન્‍દ્રસૂરીશ્વરજી મહારાજાએ સાડા ત્રણ કરોડ શ્‍લોકોની રચના કરી. તેની ૭૦૦ નકલ કુમારપાલ રાજાએ કરવી. પેથડ શાહે ભગવતી સૂત્ર સાંભળતા ૩૬૦૦૦ સોનામહોર શ્રુતભક્‍તિમાં ખર્ચી, આપણે પણ શાષા લખાવવા અને છપાવવા જોઇએ. જેથી શ્રુતભક્‍તિ થાય. રાત્રે ગ્રંથ વંચાય, તેવા અચિત રત્‍નો લાવીને ઉપાશ્રયની અંદર દિવાલોમાં લલ્લંગ શ્રાવકે ગોઠવ્‍યા હતાં. આવી રીતે શ્રુતજ્ઞાનની ભક્‍તિ કરવી જોઇએ. 

(૯)ઉદ્યાપનઃ એટલે ઉજમણું, કુટુંબમાં દર વર્ષ કોઇકને તપ પુરો થાય, એવી રીતે જીવન જીવવાનું છે. તપ પૂર્ણ થયા બાદ દર્શન- જ્ઞાન-ચરીત્રની સામગ્રી લાવી ઉજવણું કરવું જોઇએ. જેમ મંદિર ઉપર કળશ અને ભોજન ર્ક્‍યા બાદ મુખવાસ શોભે છે. એવી રીતે તપ ર્ક્‍યા પછી ઉજમણું શોભે છે. પેથડ શાહે નવકાર મંત્રનો તપ ર્ક્‍યા બાદ ૬૮,૬૮ રત્‍ન, ચાંદીના કલશ વગેરેથી ઉજમણું ર્ક્‍યુ હતું. મયણાં સુંદરીએ બે વખત નવપદ ઓળીનો ઉજમણું ર્ક્‍યુ હતું. ઉજમણાથી સાધુ-સાધ્‍વીજીની નિર્દોષ ઉપકરણોથી ભક્‍તિ થાય છે. 

(૧૦) તીર્થ પ્રભાવનાઃ આનાથી જૈન શાસનની જાહોજલાલી થાય, જૈન શાસનનો ડંકો ચારે બાજુ વાગે, તેથી દશાર્ણભદ્ર રાજા અને કૌણિક વગેરેની જેમ ઠાઠમાઠથી પ્રભુને વંદન, ઉપકારી ગુરૂના પ્રવેશના સામૈયા વગેરે એક વાર વર્ષમાં અવશ્‍ય કરાવવા જોઇએ. પેથડ શાહે પૂ. આચાર્ય દેવશ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મ.સા.ના નગરપ્રવેશ સામૈેયામાં ૭૨૦૦૦ ટાંકનો ખર્ચ કર્યો હતો. રામજી શ્રાવકે ગુરૂની વધાઇ આપનારને ૧૧ લાખ રૂપિયા આપી દીધા. શોર્ટમાં જૈન શાસન બીજાના દિલમાં કેવી રીતે વસે? આ રીતે પ્રયત્‍ન કરવો જોઇએ. 

(૧૧) આલોચનાઃ વર્ષ દરમ્‍યાન થયેલા પાપોની શુદ્ધ ભાવથી જરાએ છુપાવ્‍યા વગર આલોચના કરવી જોઇએ. ભયંકર પાપો કર્યા હોય અને આત્‍મા કાળો મહોતા જેવા થઇ ગયો હોત, તો પણ આલોચના રૂપી સાબૂથી શુદ્ધ થઇ શકે છે. કેન્‍સરની ગાંઠની ખબર પડતાં તરત જ ઓપરેશન કરવામાં આવે, તો માણસ બચી જાય છે, પણ નાનો કાંટો જો કાઢવામાં ન આવે, તો સેપ્‍ટીક થયા પછી મરવું પડે છે, ભીનું કપડું ખુલ્લું કરવાથી જલ્‍દી સુકાઇ જાય છે તેમ ગીતાર્થ ગુરૂ પાસે હ્યદય ખુલ્લુ કરવાથી આત્‍માનો પાપ પલાયન થઇ જાય છે. પાપોની આલોચના લીધા પછી કદાચ બીજી વખતે તે પાપ થશે તો તેવું તીવ્ર નહિં થાય. પુષ્‍પચૂલા અને કામલક્ષી ભયંકર પાપ કરવા છતાં પヘાતાપ પૂર્વક દુઃખિત હ્યદયના ભાવથી આલોચના કરીને તે જ ભવે મોક્ષે ગયા છે. રૂક્‍મિણી વગેરે આત્‍માઓએ પાપ છુપાવ્‍યું. તો એક લાખ ભવના શિકાર બની ગયા. અહંકાર છોડીેને સરલ ભાવથી આલોચના લેનાર પાપી પણ પાવન બની જાય છે. વામન પણ વિરાટ બની જાય છે. આલોચના લીધા પછી જે પ્રાયヘતિ આવે, તેને પૂર્ણ કરવું જોઇએ. આવી રીતે આરાધના કરનાર સ્‍વર્ગ અને મોક્ષ સુખનો ભોક્‍ત બને છે. 

|| પર્યુષણ મહાપર્વના ૫ કર્તવ્યો || 

(૧) અમારી પ્રવર્તન (૨) સાધર્મિક વાત્સલ્ય (૩) ક્ષમાપાન (૪) અઠ્ઠમ તપ (૫) ચૈત્ય પરિપાટી. 

(૧) અમારી પ્રવર્તન : મારી એટલે હિંસા, પોતે કરવી – કરાવવી, અમારી એટલે હિંસા કરવી નહિ, કરાવવી નહિ. આપણી ચારે બાજુ જો ત્રાહિમામ્ પુકારતાં પ્રાણિઓના દુ :ખ દર્દ ભર્યા જીવન હશે, તો તેવા વાતાવરણમાં આપણી મૈત્રી ભાવનાદિથી સભર આરાધના કેવી રીતે થઈ શકશે ? કોઈ ધર્મ માનવો પ્રત્યે પ્રેમ શિખવાડે છે, કોઈ માનવ અને પશુ પ્રત્યે પ્રેમ શિખવાડે છે, જૈન ધર્મ તો પૃથ્વી – પાણીથી માંડીને માનવ પશુ – પક્ષી બધા જીવો પ્રત્યે પ્રેમ શિખવાડે છે. 

(૨) સાધર્મિક વાત્સલ્ય : સમાન ધર્મવાળો સાધર્મિક કહેવાય. તેના પર પ્રેમ અને વાત્સલ્ય રાખવું. જેમ વાસણ વગર પાણી ન રહે. આધાર વગર આધેય ન રહે, પૃથ્વી વગર સંસારમાં માનવ ન રહે, ગુણી વગર ગુણ ન રહે, એવી રીતે ધર્મી વગર ધર્મ ન રહે. દેરાસરમાં જાઓ ત્યારે દેવની અનુભૂતિ થાય., ઉપાશ્રયે જાઓ ત્યારે ગુરુની અનુભૂતિ થાય, ધર્મ કરે, ત્યારે તેની અનુભૂતિ થાય, પણ ધર્મોને જુઓ એટલે ત્રણેની એક સાથે અનુભૂતિ થાય. કારણ કે ધર્મના મનમંદિરમાં દેવ-ગુરુ અને ધર્મની પ્રતિષ્ઠા થયેલી હોય છે. તેથી તેની ભક્તિ કરવાથી અનેક ગણો લાભ થાય છે. જીવ સ્વયં તો મર્યાદિત આરાધના કરી શકે છે. પણ અનેક સાધર્મિક તો અનેક ધર્મોની આરાધના કરે, તેથી શાસ્ત્રમાં કહ્યું છે કે બુદ્ધિરૃપી તરાજવામાં એક બાજુના પલ્લામાં પૂજા, સામાયિક, પૌષધ, નવકારવાલી વગેરે બધુ મુકાય અને બીજી બાજુના પલ્લામાં સાધર્મિક વાત્સલ્ય મુકાય તો બંને પલ્લાં સમાન હોય છે. કોઈપણ પલ્લુ ઉચું નીચું ન દેખાય. કેટલું બધું મહત્ત્વ છે. સાધર્મિક ભક્તિનું ? 

(૩) ક્ષમાપના : પ્રથમ કર્તવ્યમાં બીજા જીવોને બચાવવાના છે અને ત્રીજા કર્તવ્યમાં પોતાને બચાવવાનો છે. આજ સુધી જીવે અહંકાર, મમત્વ, લોલુપતા આદિથી બીજા જીવો પ્રત્યે ક્રોધ કર્યો હોય, તો અહંકાર આદિ ત્યાગ કરી માફી માંગવાની હોય છે. 

(૪) અઠ્ઠમ તપ : પર્યુષણ મહાપર્વ ઓછામાં ઓછી તપની આરાધના અઠ્ઠમ તપથી કરવી જોઈએ. એક સાથે અઠ્ઠમ ન થાય, તો છુટા છુટા ત્રણ ઉપવાસ કરવા જોઈએ. નાગકેતુ બાલકે અઠ્ઠમ તપ કર્યો હતો. તો તેના જીવનમાં દૈવિક ચમત્કાર થયો હતો. પરણેન્દ્રે આવીને તેને સહયોગ આપ્યો હતો અને અંતે તે મોક્ષમાં ગયો હતો. 

(૫) ચૈત્ય પરિપાટી : આત્મ દર્શન કરવા માટે નગરમાં રહેલા બધા દેરાસરોના દર્શન વાજતે ગાજતે સામુહિક કરવા જવું જોઈએ. જેથી આત્મદર્શન થાય. આંગી વગેરેની વિશિષ્ટ રચના કરવી જોઈએ. આ પાંચ કર્તવ્યોથી પર્યુષણ મહાપર્વની આરાધના કરી આપણું જીવન 

|| જીવનના અઢાર કર્તવ્યો || 

(૧) ઉચિત નિવાસ (૨) ઉચિત વિદ્યાગ્રહણ (૩) પાણિગ્રહણ (૪) યોગ્ય મિત્ર (૫) જિનભવન (૬) જિનપ્રતિમા રચના (૭) પ્રતિષ્ઠા (૮) દિક્ષા મહોત્સવ (૯) પદસ્થાપન (૧૦) શ્રુતભક્તિ (૧૧) પૌષધશાળા નિર્માણ (૧૨) યાવજ્જીવ સમ્યક્ત્વનું પાલન (૧૩) અણુવ્રત સ્વીકાર (૧૪) દીક્ષા સ્વીકાર (૧૫) આરંભ ત્યાગ – નિવૃત્તિ (૧૬) બ્રહ્મચર્યવ્રત પાલન (૧૭) શ્રાવકની ૧૧ પ્રતિમા વહન (૧૮) અંતિમ આરાધના 

કર્તવ્ય એટલે ફરજ. સંસારી માનવો પોતાના સંસારને ચલાવવા દરેક ફરજોને અદા કરતો હોય છે. ત્યારે પ્રભુએ બતાવેલા કર્તવ્યોનું તે તે સમયે પાલન ન કરે તો કેમ ચાલે ? પ્રત્યેક શ્રધ્ધાળુ શ્રાવકોએ આ કર્તવ્યોનું અવશ્ય પાલન કરવું જ જોઈએ. 

પ્રભુ વીરની પાટ પરંપરામાં બાવનમી પાટે થયેલા – આજથી લગભગ ૬૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલા પૂ. આચાર્યદેવશ્રી રત્નશેખર સૂરિ મહારાજે શ્રાધ્ધવિધિ નામના ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ પ્રત્યેક શ્રાવકોના ઘરમાં અવશ્ય હોવો જોઈએ. પોતાની લાયબ્રેરીમાં જગ્યા ન હોય તો બીજા બે પુસ્તકોને બહાર કાઢીને પણ આ ગ્રંથ અવશ્ય વસાવવો જોઈએ. જેમાં શ્રાવકે સવારથી ઉઠીને રાત્રે સૂતા સુધીમાં ક્યા ક્યા કાર્યો કરવા જોઈએ તેની વિસ્તૃત માહિતી છે. એ સિવાય પર્વ ! વર્ષ ! જીવન દરમિયાન કરવા યોગ્ય કર્તવ્યોની પણ સુંદર માહિતી છે. 

આ ગ્રંથમાં શ્રાવકોને જીવનમાં એક વખત કરવા યો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top