ગુરુવાર, 20 જાન્યુઆરી, 2022

Mumbai First Derasar મુંબઈનુ પહેલું દેરાસર કયું છે?

મુંબઈનુ પહેલું દેરાસર કયું છે?

 

આ સવાલ ના જવાબ નો અંદાજ કદાચ કોઈને પણ નહીં હોય..

ક્યારે આ દેરાસર નું નામ પણ સાંભળ્યું નહિ હોય..

 

અને સાચો જવાબ છે 

 

માહિમ માં આવેલ આદિનાથ દેરાસર

 

આ વર્ષે તેની 215 મી ધજા ચડશે..

 

મુંબઈ માં વર્ષો પહેલાં ગુજરાત થી દરિયા માર્ગે ધંધા માટે જૈન વેપારીઓ મોટી સંખ્યામાં આવતા

અને તે વખતે માહિમ વિસ્તારમાં પોતાની બોટ ને પાર્ક કરતા ..

મુંબઈ માં કોઈ દેરાસર ન હોવાથી પહેલું દેરાસર ત્યાં નિર્માણ થયું.

 

અને મુંબઈ માં ત્યારે દક્ષિણ વિભાગ માં જ વસ્તી અને ધંધો હતો માટે ત્યાર બાદ શાંતિનાથ દેરાસર ફોર્ટ અને ગોડી જી દેરાસર પાયધુની નું નિર્માણ થયું..

 

માહિમ નો આ દેરાસર હિન્દુજા હોસ્પિટલ થી કેડલ રોડ પર બાંદ્રા તરફ જઈએ ત્યારે મેન રોડ પર જ આ દેરાસર આવેલ છે.

 

એક સમયે આ વહીવટ કચ્છીઓ કરતા.

અહીં પર્યુષણ માં પોથી નો ચડાવો નથી થતો . તેમના સભ્યો ના ઘરે વારાફરતી દર વર્ષે એક સભ્ય ના ઘરે પોથી જાય.

 

હવે જ્યારે પણ એ બાજુ જાઓ ત્યારે જરૂરથી દર્શન કરશો..

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top