સોમવાર, 17 એપ્રિલ, 2023

ફાગણ સુદ તેરસ અને છ ગાઉની પ્રદક્ષિણા


➡જય તળેટીથી શરૂઆત કરીએતો રામપોળ સુધી પહોચતા 3303 પગથિયા ચઢવાના હોય છે. જ્યારે રામપોળથી દાદાના દેરાસર સુધી બીજા 198 પગથિયા છે. કુલે 3501 પગથિયા ચઢીને દાદાના દર્શન થાય છે.

➡દાદાના દર્શન અને ચૈત્યવદન કરીને રામપોળની બારીથી નીકળતા આપણી જમણી બાજુએ સોખરી નામની ટેકરી છે, તેના ઉપર દેવકીજીના છ પુત્રોની દેરી છે.

➡ત્યા દર્શન કરીને આગળ ચાલતા અર્ઘો ગાઉ ગયા પછી ઉલખાજલ નામનુ સ્થાન આવે છે઼ અહી દાદાના સ્નાત્ર-પ્રક્ષાલનુ જલ આવે છે અહી ડાબી બાજુ એક નાની દેરીમા શ્રી આદિનાથ ભગવાનના ચરણપાદુકા છે 

➡ત્યા દર્શન – ચૈત્યવદન કરીને આગળ જતા પોણો ગાઉ પછી ચિલ્લબણ તલાવડી ( ચંદન તલાવડી) આવે છે અહીં શ્રી અજિનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનના ચરણપાદુકાની દેરી છે.
આ બે દેરી પાસે અત્યત મહિમાવાળી ચિલ્લણ (ચદન) તલાવડી, તથા કાઉસ્સગ્ગ કરવા માટેની સિદ્ઘ શિલા છે. 

➡પછી આગળ બે માઇલ જતા ભાડવાનો ડુગર આવે છે, આ શિખર ઉપર એક દેરીમા એક શ્રી આદીશ્વરના ચરણપાદુકાની જોડ તથા શાંબ અને પ્રદ્યુમ્નઘના બે ચરણપાદુકાની જોડ, એમ ચરણપાદુકાની ત્રણ જોડ પ્રતિષ્ઠિત કરેલ છે 

➡ત્યા ચૈત્યવદન કરીને એક માઇલ નીચે ઉતરતા સિઘ્ઘવડ (નાની જુની તળેટી) છે.
અહીં વડ નીચે દેરીમા શ્રી આદિનાથ પભુના ચરણપાદુકા છે *ત્યા ચૈત્યવંદન કરવું અહીં છ ગાઉની પ્રદક્ષિણા પુરી થાય છે*

અહીં નજીકમા રહેલા આદપુર ગામની જગ્યામા ફાગણ સુદ 13 ના દિવસે પેઢીના હસ્તક જુદા જુદા ગામના સંઘો અને ભાવિક ભક્તો યાત્રાળુઓની ભક્તિ કરવા માટે પાલ તરીકે ઓળખાતા મંડપ બંઘાવીને તેમા જાત જાતની વસ્તુઓ દ્વારા યાત્રિક ભાઇ બહેનોની સાઘાર્મિકોની ભક્તિ કરે છે.
       🙏🙏🙏
જય ગિરિરાજ !!! જય આદિનાથ !!!
એક વખત આદિનાથ ભગવાનનું નામ લેવાથી અડસઠ તીર્થયાત્રાનું ફળ મળે છે એમ શિવપુરાણમાં લખ્યું છે. (अष्ट षष्टिषु तीर्थेषु यात्रायाँ यत्फलं भवेत् आदिनाथस्य देवस्य समरणे नापि तद भवेत्)
જય જય જય શ્રી આદિનાથ, કર્મ ખપાવે આદિનાથ,
મોક્ષ અપાવે આદિનાથ. જય ગીરીરાજ - જય આદિનાથ......
એ હેલો મારો સાંભળો
શેત્રૂજય ના રાજા
નાભીરાયા ના બેટા
માતા મરૂદેવી ના નંદ
મારો હેલો સાંભળો ઓ જી
"""આદિનાથ દાદા નો હેલો"""
🙏🙏🙏🙏🙏

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top