મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2020

Prerak Prashngo Jainism


અમારા ગુરુદેવ પૂ. આ. શ્રી ભુવનભાનુ સૂરીશ્ર્વરજી મહારાજના એક ભક્ત શ્રાવક હતા. 
નામ અમીલાલ વાધર. શ્રીમંત હતા. ચશ્માની દુકાનો હતી. 
ધર્મ શ્રદ્ધા સારી હતી. વરસોથી હંમેશા એક જ પ્રકારનો ડ્રેસ જોયેલો. સફેદ ટોપી, સફેદ કફની, સફેદ ધોતીયું. બધું જ ઉજળું ને વ્યવસ્થિત ઇસ્ત્રી કરેલું. છેલ્લે લગભગ ૭૫ વરસના થયેલા ત્યારે મળવાનું થયેલું. 
ત્યારે મેં મજાકથી જ પૂછ્યું. અમીભાઇ ! તમારા કપડા ધોનારો નોકર વરસોથી એક જ લાગે છે. એક જ ઢબે ધોવાના-ઇસ્ત્રી કરવાના ! 
ત્યારે એમણે કહ્યું. સાચી વાત. વરસોથી એક જ જણ મારા આ પહેરવાના કપડા ધુએ છે.
 મારી મજાક સાચી નીકળી મેં પૂછ્યૂં-તો એની પણ ઉંમર તો થઇ હશે. 
એમણે કહ્યું-હા ! ૭૫ વરસની. પછી ખુલાસો કર્યો. મારી ઉંમર ૭૫ વરસની છે ને હું જ મારા કપડા ધોઉં છું. ઇસ્ત્રી કરું છું. મેં નવાઇથી પૂછ્યું- તો નોકરો ? 
એમણે કહ્યું-છે ને ! ઘણા છે. પણ મારી મમ્મીએ મને બાળપણથી ટેવ પાડી છે. નહાતી વખતે જ ગઇકાલના કપડા જાતે જ ધોવાના. ગમે તેટલા મોટા માણસ થાવ. આટલો તો પરિશ્રમ કરવો જ. આટલા તો સ્વાવલંબી જ રહેવું. નોકરોને પરાધીન થઇ જવું નહીં. ત્યારથી હું મારા રોજના બધા વસ્ત્રો આજ સુધી જાતે જ ધોઉં છું ને ાજતે જ ઇસ્ત્રી કરું છું. સારી વાત છે. 
જાત પરિશ્રમનો મહિમા સગવડના જમાનામાં ઘટી રહ્યો છે, તે ઘણા રોગોનું કારણ બને છે. આરોગ્ય માટે પણ આ રીતનું સ્વાવલંબન જરુરી છે. નોકરોના પરિશ્રમનું મૂલ્ય પણ સમજાય છે. પોતે ધોયેલા વસ્ત્રો પહેરવાનું ગૌરવ કોક અલગ હોય છે. સ્વાવલંબન જરુરી છે.

ધન્યકુમાર ચરિત્ર 18:- ભાવધર્મ તો અહિંસા-કરુણા-અભયદાનથી જ સાર્થક થાય છે. કરુણાભાવથી વ્યવહાર કરવાનો નથી. અજીવ એટલે પુદ્ગલ, અજીવ એટલે સાધન સામગ્રી. એ તોડવી-ફોડવી-કચડવી-લાત લગાવવી વગેરે કઠોરતાના પોષક છે. કઠોરતા ને અભયદાન સાથે રહી શકે નહીં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top