સોમવાર, 14 સપ્ટેમ્બર, 2020

Vairagya jain Diksha Questions Answered

બાલ્યવયમાં પણ વૈરાગ્ય :

Vairagya jain Diksha

સભા : ' આ કાળમાં તીવ્ર વૈરાગ્ય થવા માટે વયની કોઈ મર્યાદા ખરી ? '

 હા. આ કાળમાં પણ તીવ્ર વૈરાગ્ય માટે જ્ઞાનીઓએ આઠ વર્ષની વયની મર્યાદા બાંધી છે . તે પહેલાં પણ વૈરાગ્ય થાય પણ એ સર્વવિરતિ જોગો નથી થતો .

સભા : ‘આઠ વર્ષની વયમાં એવો વૈરાગ્ય કયા કારણથી થાય ?’

પૂર્વ સંસ્કારથી. 
પૂર્વ સંસ્કારને તો માનો છો ને ?
     એ વયમાં સમજી ગયો એનું કારણ એ કે આ વસ્તુ પ્રત્યે પૂર્વસંસ્કારના યોગે રાગ જાગ્યો.

     _કોઈ બાળકને દિવસ ઊગ્યે દૂધ પીવાનું મન થાય ત્યારે કોઈ બાળકને દિવસે ઊગ્યે મંદિર - ઉપાશ્રય જવાનું મન થાય એનું કારણ શું ?_

 ```ભલે સમજે કાંઇ નહિ પણ એવાયે બાળક છે કે જે દર્શન કર્યા વિના દૂધ નહિ પીવે, ભલે સ્વરૂપ ન સમજે, પણ પૂર્વના સંસ્કારના કારણે આ સ્થિતિ હોય છે. એ જ વૈરાગ્યનું પગથિયું છે,```

 સભા : ‘ટેવ પડી હોય માટે પણ એમ થાય ?’

ટેવ ખરી પણ સદ્ ભાવ શાથી ?
  ગયા વિના ગમે નહિ એ શાથી ?
    રૂપિયો અને ઓધો એ બેમાં કોઈ બાળકને ઓઘો ગમે એનું કારણ શું ?
         શ્રી જિનેશ્વરદેવનું સ્વરૂપ જાણ્યું નથી એવા બાળકને પણ પ્રભુનાં દર્શનથી આનંદ થાય, 
       સાધુનું સ્વરૂપ જાણે નહિ છતાં સાધુને જોઈ હર્ષિત થઈ જાય, 
       ```મા-બાપ સાધુને શું આપે છે તે જાણે નહિ તો પણ કાંઈક આપે છે એ જોઇને રાજી થાય અને પોતે આપવા દોડે, આ બધામાં પૂર્વ સંસ્કાર જ માનવા પડે.``` 

*ક્રમેક્રમે સંસ્કાર ખીલતા જાય અને આઠ વર્ષની વયનો થાય ત્યારે કહે કે મારે હીરા માણેક કે પૈસા ટકા નથી જોઈતા. મારે તો મહારાજ પાસે જવું છે તો એ શું ?*
એ જ વૈરાગ્ય ,

           અરે, એમ ન થાય અને માનો કે માબાપ સમજાવે કે ખરો માર્ગ તો આ ત્યાગનો જ છે, બીજું બધું ખોટું છે એમ સમજાવતાં સમજાવતાં અમુક સમયે અસર થઈ જાય તો પણ હરકત શી છે ? 

હા ! એક વાત સાચી, આમાં બળાત્કાર ન કરાય, 
   બાળકને કોઈ ખરાબ કામ કરતાં રોકાય , 
        સમજાવવા છતાં ન રોકાય તો બળાત્કાર પણ કરાય, જૂઠું બોલે તો ધોલ પણ મરાય,  
              અભક્ષ્ય ખાતાં ભય બતાવી અટકાવાય 
                    પણ 
સંસાર છોડવાનું મન ન હોય તો એને દીક્ષા પરાણે ન અપાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top