બુધવાર, 18 નવેમ્બર, 2020

Jag Na Nath Banya Te Pahela

 વીર પ્રભુ નો નિર્વાણ – યશોદાજી નો વિલાપ


જગ ના નાથ બન્યા તે પહેલા

મારા સ્વામી નાથ થયા

મુઝ ને એકલવાઈ છોડી

તમે મોક્ષ મા કેમ ગયા…


મ્હારી મેહંદી મારું સિંદૂર

નાથ તમારા નામે છે

મારૂ ઘર ને મારી દુનિયા

એકજ તવ સરનામે છે

દાસી છું હુ જન્મ જન્મ ની

જીવુ કેમ તમારી દયા…


હસ્ત મિલાપ કરી જીવનમા

સથવારા નું વચન દીધુ

દીક્ષા પણ એકલ લીધી ને

કેવલ પણ એકલ લીધુ

મુક્તિ પૂરી ના સિંહાસન પર

એકલ કાય ના શોભી રહ્યા…


મંગલ સુત્ર તમે મુઝ કંઠે

બાઁધ્યુ છે નિજ હાથ ધરી

નામ તમારુ રહીશ જપતી

હુઁ તો અંતિમ શ્વાસ થકી

સુના સુના જીવન મંદિર

દ્વાર પરમ ના બંદ થયા

મ્હારા સ્વામી નાથ થયા…

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top