શુક્રવાર, 6 નવેમ્બર, 2020

Pujo Giriraj Ne Re Lyrics Jain Stavan

Pujo Giriraj Ne Re Lyrics Jain Stavan

મનના મનોરથ સવિ ફળ્યા એ

સીધ્યા વાંછિત કાજ

પૂજો ગિરિરાજ ને રે… (૨ વાર)


પ્રાયે એ ગિરિ શાશ્વતો રે

ભવ જલ તરવા જહાજ

પૂજો ગિરિરાજ ને રે… (૨ વાર)


વિમલ કરે ભવિ લોક ને એ

તેણે વિમલાચલ જાણ

પૂજો ગિરિરાજ ને રે… (૨ વાર)


પુંડરિક ગણધર થી થયો એ

પુંડરિક ગિરિ ગુણધામ

પૂજો ગિરિરાજ ને રે… (૨ વાર)


એ ગિરિવર ના ગુણ ઘણા એ

નાણીએ નવિ કહેવાય

પૂજો ગિરિરાજ ને રે… (૨ વાર)


જાણે પણ કહી નવી શકે એ

મૂક ગુડ ને ન્યાય

પૂજો ગિરિરાજ ને રે… (૨ વાર)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top