શનિવાર, 19 માર્ચ, 2022

Jain question answer

*પ્રશ્ન : શું ધ્વજારોહણ કર્યા બાદ, ત્યાં જ દંડ પર આરતી–મંગળદીવો અને ચૈત્યવંદન કરવું જોઈએ ❓*
*(ગૌતમ જૈન, ચેન્નઈ)*

*જવાબ :* *જ્યારે ધ્વજદંડ – કળશની અધિવાસના – પ્રતિષ્ઠા વિધિ થાય ત્યારે તેની સંસ્કૃતમાં અલગથી આરતી થતી હોય છે. મંગલદીવો હોતો નથી.*
  *જ્યારે દર વર્ષે ધ્વજારોહણ સમયે ધ્વજદંડની આરતી કે મંગળદીવો કંઈ કરવાનું હોતું નથી. ધ્વજા ચઢાવી નીચે આવીને મોટી શાંતિનો મંગલપાઠ સાંભળવાનો હોય છે. તથા જિનાલયમાં શેષ પૂજાઓ કે વિધિ પૂર્ણ કરીને પછી પરમાત્માની આરતી અને મંગલદીવો કરવાનો હોય છે. અહીં ધ્વજદંડ કે કળશ ઉપર કોઈ આરતી કે મંગલદીવો કરવાનો હોતો નથી.*

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
​📝 *मुनि सौम्‍यरत्न विजयजी*
 *Shilp Vidhi*
*જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઈ લખાયું હોય તો મિ.દુ.*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top