સોમવાર, 7 માર્ચ, 2022

Motivation Story

900 વર્ષ પહેલાંનો સમય.

 

એક નાની જોયેલી વાત માંથી જ્ઞાની અને પુણ્યશાળી આત્માઓ કેટલું મહાન અને શુભ કાર્ય કરી જાય છે તેનું આ ઉદાહરણ છે.

 

ઉદયન એ સિદ્ધરાજ નો વિશ્વાસુ સુબો ને પછી મંત્રી બન્યો. શ્રીમાળી વંશ ને મારવાડમાં જાલોર અને રામસેન વચ્ચે આવેલ વાઘરા ગામમાં જન્મ.

તેઓ શત્રુંજય ની જાત્રાએ ગયા. 900 વર્ષ પહેલા શત્રુંજય ના દેરાઓમાં પથ્થરો સાથે લાકડું ખુબ જ પ્રમાણમાં વાપરવામાં આવેલ. કારણ સમજાય કે આજથી 900 વર્ષ પહેલાં પથ્થરો કરતા લાકડું ડુંગર પર ચડાવવું સરળ રહે.

ઉદયન મંત્રી શત્રુંજય ડુંગર ચડી ઉપર આવ્યા ને દાદાના દર્શન કરતા હતા ત્યાં તેમણે એક ઉંદરને સળગતી વાટ પકડીને જતા જોયો. તેમને ફાળ પડી ને ભય લાગ્યો કે આવું બન્યા કરે તો આગ તો નહીં લાગી જાયને.

તેમણે ત્યાંજ મનમાં નિશ્ચય કર્યો શત્રુંજય મંદિર ના બાંધકામ માંથી લાકડું હટાવી પૂરું પથ્થરોનું કરાવીશ.

પણ પરત જતા ઉદયન મંત્રીએ રસ્તામાંજ વઢવાણ પાસે સં 1208 માં દેહ છોડી દીધો.

પિતાશ્રી ઉદયન મંત્રીની ઈચ્છા અનુસાર તેમના પુત્ર બાહડે ત્રણ જ વર્ષમાં સં 1211 માં શત્રુંજય તીર્થનો ચૌદમો જીર્ણોધ્ધાર કર્યો ને ત્યારથી ત્યાં લાકડાની જગ્યાએ પથ્થરો લગાવાયા.

એવું કહી શકાય કે આ ચૌદમાં જીર્ણોધ્ધાર ની પાછળ એક ઉંદર નિમિત્ત બન્યો.

હાલનો દાદાનો દરબાર જે આપણે દર્શન કરીએ છીએ તે બાહડ મંત્રી એટલેકે ઉદયન ના પુત્રે સં 1211 માં બનાવેલ તે જ છે.

15 મો ઉદ્ધાર સમરાશા એ સં 1371 માં કરાવ્યો ત્યારે પણ મુખ્ય દેરામાં ફેરફાર ન કરાયો હતો.

16 માં ઉદ્ધાર સં 1893 માં પણ મુખ્ય દેરું તેજ રાખીને મૂળનાયક આદીનાથદાદા ની નવી મૂર્તિ મોતીશા એ ભરાવી. આ પ્રતિમા વસ્તુપાળે મોકલેલ આરસ ની શિલામાંથી બની છે.

ઉદયન મંત્રી એ નર ઉદા માં (હાલ તેને અમદાવાદ નું નરોડા કહે છે) પણ દેરાસર બંધાવ્યું હતું.

આ ઉદયન મંત્રીની ગરીબ હતા ત્યારની ઈમાનદારીની વાત પણ જાણીએ. કમાવા માટે પુત્રો સાથે મારવાડ થી અમદાવાદ આવ્યા. લાછી છીપણે ભાઈ માની પોતાનું જૂનું ઘર રહેવા આપ્યું. ઉદયને ઘીનો વેપાર શરૂ કર્યો ને કમાયા તો તે જ ઘર ખરીદી લઈ તોડી નવું બનાવવા ગયા તો ઢગલો સોના મોહરો ના ચરુ મળી આવ્યા. ઘર પોતે ખરીદી લીધેલું છતાં લાછી છીપણ ને કહેવા ગયા ચરુ પર મારો હક નથી બેન તું લઈ જા. લાછીએ ના પાડી.

ક્લીકલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ની ખંભાત માં દીક્ષા સં 1150 માં થઈ ત્યારે તેઓ હાજર હતા. તેમણે જ કુમારપાલને રાજા બનવામાં સહાય કરી હતી.

એવું કહેવાય કે ગરીબાઈ વખતે પણ પ્રામાણિકતા ન છોડી ને શુદ્ધ આચરણ ને ધર્મ ના પ્રતાપે પોતે ને તેમના પુત્રો ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે નામ લખાવી ગયા.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top