ગુરુવાર, 16 જુલાઈ, 2020

Ratan Knika

મન ના મણકા - ૧  
---------------------
ચારસો મીટરની રેસમાં કેન્યાનો રનર અબેલ મુત્તાઈ સહુથી આગળ હતો .. ફિનિશિંગ લાઈનથી ચાર પાંચ ફૂટની દુરી પર એ અટકી પડ્યો... એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણમાં અને ગેરસમજમાં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝ એ આ જોયું અને તેને લાગ્યુ કે આ કૈંક ગેરસમજ છે...  તેણે પાછળથી બૂમ પાડી અને મુત્તાઈને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે...
પરંતુ , મુત્તાઈને સ્પેનિશ ભાષામાં સમાજ ના પડી.... આ આખો ખેલ માત્ર ગણતરીની સેકન્ડનો હતો. ... સ્પેનિશ રનર ઈવાન એ પાછળથી આવી અને અટકી પડેલા મુત્તાઈને જોરથી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખાને પાર કરી ગયો....

ખુબ નાનો  , પણ અતિ મહત્વનો પ્રસંગ. ... આ રેસ હતી ... અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ... ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત ... ફિનિશ રેખા પાસે આવીને અટકી પડેલા મુત્તાઈને અવગણીને ઈવાન વિજેતા બની શકત. .. આખરે વિજેતા મુત્તાઈને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાનને સિલ્વર. ...

એક પત્રકારે ઈવાન ને પૂછ્યું , " તમે આમ કેમ કર્યું ? તમે ધારત તો તમે જીતી શકત.. તમે આજે ગોલ્ડ મેડલને હાથથી જવા દીધો... "
ઈવાન એ સુંદર જવાબ આપ્યો ..." મારું સ્વપ્ન છે કે , ક્યારેક આપણે એવો સમાજ બનાવીયે, જ્યાં વ્યક્તિ બીજા વ્યક્તિને ધક્કો મારે , પરંતુ પોતે આગળ જવા માટે નહિ.... પરંતુ બીજાને આગળ લાવવા,  મદદ કરવા, એની શક્તિને બહાર લાવવા  ધક્કો મારે... , એવો સમાજ જ્યાં એક બીજાને મદદ કરી બંને વિજેતા બને ..."

પત્રકારે ફરી થી પૂછ્યું , " તમે એ કેન્યન મુત્તાઈ ને કેમ જીતવા દીધો ? તમે જીતી શકત..."

જવાબમાં ઈવાન એ કહ્યું , " મેં એને જીતવા નથી દીધો.. ,
એ જીતતો જ હતો...
આ રેસ એની હતી...
અને છતાં જો હું એને અવગણીને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસેથી પડાવેલી જીત જ હોત..
આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત ?
આવો જીતેલો ચંદ્રક હું મારી મા ને શી રીતે બતાવી શકું?
હું મારા અંતરાત્માને શું જવાબ આપું? "

સઁસ્કાર અને નીતિમત્તા એ વારસામાં મળેલી ભેટ છે...
એક પેઢીથી બીજી પેઢીને મળતો વારસો છે....
આમ થાય અને આમ ના જ થાય... આ જ પુણ્ય અને પાપ છે...
આ જ ધર્મ છે...

બાળકોને આપણે શું આપીએ છે, એ જ નક્કી કરશે કે કાલનો સમાજ કેવો હશે....
નીતિમત્તા અને સંસ્કારનાં કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આવતી...
બાળક પોતાનાં માતા પિતાનાં વર્તન, વ્યહવાર અને આદર્શને જ અનુસરે છે... તેમાંથી જ શીખે છે અને એનું ઘડતર થાય છે...

જીતવું મહત્વનું છે .. પણ કોઈ ભોગે જીતવું એ માનસિક પંગુતા છે ... કોઈનો યશ ચોરી લેવો ..કોઈની સફળતા પોતાને નામ કરવી .. બીજાને ધક્કો મારી પોતે આગળ આવવાનો પ્રયત્ન .. આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયાનો ભાવ અપાવે પણ ખુશી નહિ અપાવે ...કારણ , અંતરમન અને અંતરઆત્મા તો સાચું જાણે છે ...    
આ સુંદરતા , પવિત્રતા, આદર્શ , માનવતા અને નીતિમત્તાને આગળ ધપાવીએ ...
બીજી પેઢી માં પ્રમાણિકતા અને નીતિમત્તા ના બીજ રોપીએ .....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top