બુધવાર, 1 જુલાઈ, 2020

Aaj Nu Mandir Mane Lage Bahu Rupali આજનું મંદિરીયું

Aaj Nu Mandir Mane Lage Bahu Rupali


આજનું મંદિરીયું મને લાગે બહુ રૂપાળું 
કહી દો પૂજારીને મારે નહિ તાળું . . . 

તારા રે નામની લીધી મેં માળા 
ગાઈ રહ્યો છું ગુણ હું તમારા  
મનનાં મંદિરીયામાં થયું અજવાળું ... આજ . 

અચિરાના જાયા ગુણ તારા ગાયા 
તારા વિયોગે મારા નયણા ભરાયા 
શાંતિનાથનું મુખ લાગે રૂપાળું ... આજ . 

તારા રે ધામની છે બલિહારી
હું તો તારો સેવક ને તું મારો સ્વામી 
ભાવ મારા ઝાઝા ને નાનું આ ગાણું... કહી દો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top