શનિવાર, 4 જુલાઈ, 2020

Kari Sake Na Koi Tara કરી શકે ના કોઈ તારા

Kari Sake Na Koi Tara Guno Na Saravala Yugo Sudhi Jalhalse Arihant Na Ajwala... Jain Stavan


કરી શકેના કોઈ તારા ગુણોના સરવાળા 
યુગો સુધી ઝળહળતા રહેશે અરીહંતના અજવાળા 
તુજને ઓળખુ નાથ નિરંજન આંખોના છો તારા 
યુગો સુધી . . . .

ભવસાગર તરવાને કાજે માંગુ તારો સહારો 
સેવક તારો સમજીને મને સાગર પાર ઉતારો 
સર્વ જીવોના હાલેશ્વર છો મારા છો રખવાળા 
યુગો સુધી ઝળહળતા રહેશે . . . . 

કરુણાસાગર વીર પ્રભુ ઓ મારગ મને બતાવો
અરિહંત અરિહંત જે પણ સમરે પરમગતિને પામે 
ભક્તિ તારી કરતાં કરતાં કર્મો ભરે ઉછાળા 
યુગો સુધી ઝળહળતા રહેશે . . . .

જગના જીવો શાતા પામે શાસન એ છે તારું 
રગરગમાં છે જિન શાસન , એ પ્રાણ થકી પણ પ્યારુ 
આતમ શુદ્ધિ પામ્યા એ તો મુક્તિનગર વસનારા , 
યુગો સુધી ઝળહળતા રહેશે . . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top