ગુરુવાર, 25 જૂન, 2020

Dukhada Nivaro Mara દુઃખડાં નિવારો મારા

Dukhada Nivaro Mara 


કેવાં કેવાં દુઃખડા સ્વામી , મેં સહ્યા નારકીમાં , 
એક રે જાણે છે મારો આતમા પરમાત્મા . 

લબકારા લેતી કાળી વેદનાઓ સહેતા સહેતા . 
વરસોનાં વરસો સ્વામી મૅ વિતાવ્યા ત્રાસમાં , 

ઇરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં 
જનમ થયો રે મારો જાનવરના લોકમાં 

દુઃખડાં નિવારો મારા જનમ મરણના પરમાત્મા , 

કેવા કેવા જુલ્મો વેઠયા , જાનવર બનીને સ્વામી , 
એક રે જાણે છે મારો આત્મા પરમાત્મા . 

બોજો અળખામણો ને લાકડીના માર ખાતા , 
વહેતી'તી આંસુડાની ધાર મારી આંખમાં . 

ઇરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં , 
જનમ થયો રે મારો દેવતાના લોકમાં . 

દુઃખડાં નિવારો મારા જનમ મરણનાં પરમાત્મા . 

કેવાં કેવાં મંથન સ્વામી મેં ક્યા દેવલોકમાં , 
એક રે જાણે છે મારો આતમા પરમાત્મા . 

રિદ્ધિને સિદ્ધિ તોયે તમારા વિયોગે સ્વામી , 
જન્મારો ગાળ્યો જાણે ઘોર કારાવાસમાં 

ઈરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં , 
જનમ થયો રે મારો માનવીના લોકમાં . 

દુઃખડાં નિવારો મારા જનમ - મરણનાં પરમાત્મા . 

કેવા કેવા નાટક સ્વામી , હું કરું આ જનમમાં , 
એક રે જાણે છે મારો આતમા પરમાત્મા . 

મનડાની માયા કાજે ધરવા પડે છે મારે ... 
ડગલે ને પગલે નવલાં રૂપ આ સંસારમાં

આરે મલકનું જ્યાં પૂરું થાય આયખું ત્યાં . 
તેડાવો મુજને સ્વામી ત્યાં તમારા લોકમાં 
દુઃખડાં નિવારો મારા જનમ - મરણનાં પરમાત્મા . 

હે ... કેવાં કેવાં વરણન સ્વામી મેં સુલ્યા એ મલકનાં , 
અધીરો બન્યો છે મારો આતમા પરમાત્મા , 

જન્મ , જરા , મૃત્યુ કેરાં દુઃખડાંને બદલે સ્વામી , 
રહેવાનું ત્યાં તો સુખનાં શાશ્વતા સહેવાસમાં . 

ચાર ચાર ગતિના ફેરા હવે નથી ફરવા મારે , 
કરવો છે કાયમનો વસવાટ , પંચમ લોકમાં , 
દુઃખડાં નિવારો મારા જનમ મરણનાં પરમાત્મા .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top