સોમવાર, 29 જૂન, 2020

Mara Haiye Virajta Aadinathji મારા હૈયે વિરાજતા આદિનાથ

Mara Haiye Virajta Aadinathji jain stavan lyrics


મારા હૈયે વિરાજતા આદિનાથજી , જિનવરજી , મહાવીરજી 
જેના દર્શન કરીને થયું પાવન આ મન 
જેના મુખડાં ને જોઈ બન્યું જીવન આ ધન્ય 
મારા વીર રે પ્રભુ . . . . . 

હું તો વીર પ્રભુજીની ભક્તિ રે કરું 
મારું જીવન આખું એના ચરણે ધરું 
તારા મુખડાં ને જોઈ દાદા નમન કરું , મારું મોહી લીધું મન ... 

હું તો નામ રટણ કરું ઘડી રે ઘડી 
હવે સાંભળજો દાદા મારે ભીડ રે પડી 
તારી આંખોમાં જોઈ છે મેં પ્રેમની જડી , મારા તારણતરણ . ... 

મારો આતમ બન્યો છે આજ બડભાગી 
મેં તો હૈયા મેલ્યાં છે આજ શણગારી 
તમે વહેલા પધારો ઉરના આંગણીયે... મારા વીર રે પ્રભુ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top