બુધવાર, 3 જૂન, 2020

pap badha thi thay che પાપ બધાથી થાય છે



પાપ બધાથી થાય છે , પાપ બધાથી થાય છે , 
કિન્તુ કોઈ કોઈ જ વિરલા પાપ કરી પસ્તાય છે . પાપ . . . .

સ્થુલિભદ્ર નંદીષેણે , ગણિકાના સંગ કીધા 
રંગ રાગમાં ડુબી જઈને , જામ વિષયના પીધા 
કિન્તુ પશ્ચાતાપ કરીને , મુક્તિ પહોંચી જાય છે . પાપ . . . .

પશ્ચાતાપ હશે દિલમાં , પાપને બાળી દેશે 
અગ્નિ પરીક્ષા દઈને અંતર , શુદ્ધ બનાવી દેશે 
દોરી ઉપર નાચ કરતાં , ઇલાચિ તરી જાય છે. પાપ . . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top