ગુરુવાર, 11 જૂન, 2020

Ele Na Jay Jo Jo Avtar Manvino એળે ન જાય જો જો

Ele Na Jay Jo Jo Avtar Manvino


એળે ન જાય જો જો અવતાર માનવીનો 
જો જો ગુમાવશો ના અવતાર માનવીનો . 

કેવું અમૂલ્ય જીવન , તુજને મળ્યું છે માનવ 
ઝંખે છે દેવો જેને , અવતાર માનવીનો . 

પાપોનો ભાર તુજને , દુર્ગતિમાં દુઃખ આપે 
સદ્ગતિમાં જવાને , અવતાર માનવીનો . 

દુર્લભ ભવ મળ્યો છે , ફોગટ ગુમાવે શીદને ,
પ્રભુ સાથે પ્રીત કરવા અવતાર માનવીનો 

સંસાર તરવા કાજે , સુખ , દુઃખ સમતા ધરજે , 
મુક્તિ રમણી વરવા , અવતાર માનવીનો .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top